જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માં ગણેશ શાળા – ટીમાણાના 11 બાળકોની પસંદગી સાથે અનેરી સિદ્ધિ
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/03/citywatch-16-300x132-5-1024x451-90.jpg)
તારીખ 31/03/2024 ને રવિવારના રોજ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા – 2024 (ધોરણ – 6)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા – ટીમાણાના 11 બાળકોની પસંદગી થઈ છે. જેમાં વ્યાસ ઋત્વિબેન જતીનભાઈ (ઠાડચ), ધામેલિયા હિરવાબેન હિતેશભાઈ (રાજપરા -૨), પંડ્યા જીનલબેન દેવશંકરભાઈ (ટીમાણા), ભટ્ટ આયુષાબેન ભરતભાઈ (ટીમાણા), પરમાર પાવકસિંહ પ્રતાપસિંહ (પિંગળી), લાધવા હેત દિનેશભાઈ (હુબકવડ), ડાભી દેવાંશુ મગનભાઈ (મેઢા), મકવાણા રોહિત ઘનશ્યામભાઈ (ટીમાણા), સોલંકી પ્રતિક રમેશભાઈ (ભદ્રાવળ – 2), રાઠોડ મિત હસમુખભાઈ (ટીમાણા) તથા બારૈયા યશ કલ્પેશભાઈ (દેવગાણા) પસંદગી થઈ છે. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા – 2024 (ધોરણ – 6) પસંદગી પામી શાળા, પરિવાર તથા ગામનું ગૌરવ વધારનાર બધા જ બાળકોને ગણેશ શાળા – ટીમાણા દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Recent Comments