સરકારે એગ્રોફેડ મારફતે મામુલી રકમ થી ખેડૂત પાસે ડુંગળી ખરીદી ના બે માસ કરતા વધુ સમય થવા છતાં નાણાં નહિ ચૂકવતા ઠુંમર ની મુખ્ય મંત્રી ને રજુઆત
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/04/1694786003069.jpg)
અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પત્ર પાઠવી સરકાર દ્વારા ખેડુતો પાસેથી લાલ ડુંગળી ખરીદી કર્યા બાદ પેમેન્ટ નહીં ચુકવાત રજુઆત ડીસેમ્બર માં ૨૫-૩૦ રૂપિયા જેવા પોષણક્ષમ ભાવ મળતા હતા,જે ૮ ડીસેમ્બર ૨૦૨૩ માં ખેડુતોને ૧ કિલો ડુંગળી ના ૨૦૨૩ ના રોજ સરકાર દ્વારા કરવામાં આવેલ નિકાસબંધી ના કારણે જાન્યુઆરી – ૨૦૨૪ માં ડુંગળી ના બજાર ભાવ ખેડુતોની પડતર કિંમત કરતાં પણ નીચા એટલે કે ૧ કિલો ના ૧૦-૧૧ રૂપિયા માં ખેડુતો વેચવા માટે મજબુર બન્યા હતાં, સરકારે પણ ખેડુતોની ડુંગળી ૧૦-૧૧ રૂપિયા જેવા નીચા ભાવથી ખરીદી કરેલ.જાન્યુઆરી-ફેબ્રુઆરી મહીનામાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં માર્કેટીંગ યાર્ડ ખાંભા ખાતે સરકારે “શાંભવી એગ્રોફેડ” નામની સંસ્થા મારફતે હજારો ખેડુતો પાસેથી ખેડુતોની પડતર કિંમત કરતા પણ નીચા ભાવ એટલે કે ૧૦-૧૧ રૂપિયા પ્રતિ કિલો ના ભાવથી ડુંગળીની ખરીદી કરી હતી. ડુંગળી ની ખરીદી કર્યા ના ૬૦-૭૦ દિવસ બાદ આજે પણ હજારો ખેડુતોને નાણા ચુકવવામાં આવ્યા નથી, જેનાં કારણે ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. તો આ બાબતે આપના લેવલેથી આગળની તાત્કાલીક જરૂરી કાર્યવાહી કરી ખેડુતોને તેમનાં નાણા સત્વરે ચુકવાય તેવી આ પત્રથી રજુઆત કરી રહ્યો છું.
Recent Comments