સાવરકુંડલા નગરપાલીકાના સુપરવાઈઝર પરષોત્તમભાઈ મારૂ નું અવસાન થતાં
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/04/PALIKA-1140x620.jpg)
સફાઈ કર્મચારીઓ દ્વારા ૧ કલાક વધુ કામગીરી કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તારીખ ૧૩/૪/૨૦૨૪ શનિવાર ના રોજ સાવરકુંડલા નગરપાલિકા ના કર્મચારી પરસોતમભાઈ હીરજીભાઈ મારૂ નું દુઃખદ અવસાન થયેલ તેમને શ્રદ્ધાંજલિ રૂપે તા. ૧૫/૪/૨૪ ના રોજ સાવરકુંડલા નગરપાલિકા સેનીટેશન
વિભાગ ના ચેરમેન તેમજ તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા ૧ કલાક વધુ સફાઈ કરી સ્વ.પરસોતમભાઈ મારૂ નેશ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ બાબતે સેનીટેશન વિભાગ ના ચેરમેને જણાવ્યું કે લગભગ આવા દુઃખદ બનાવ માં લોકો ધંધા રોજગાર કે નોકરિયાતોને એક દિવસ ની રજા આપવામાં આવે છે પણ આજ આ શ્રધ્ધાંજલિ અર્પણ કરી સાવરકુંડલાસેનીટેશન વિભાગના ચેરમેન તેમજ સફાઈ કર્મચારીઓએ નવો ચીલો ચાતરીને લોકો એ પણ દેશની પ્રગતિ
તેમજ રાષ્ટ્ર હિત માટે આવી રીતે વધુ કામ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.
Recent Comments