fbpx
અમરેલી

સાવરકુંડલામાં શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ  ખાતે શ્રી હનુમાનજી મહારાજ પ્રાગટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન

શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, કે કે હાઇસ્કુલ પાછળ સાવરકુંડલા ખાતે આગામી તા.૨૩-૪-૨૪ (મંગળવાર) ના રોજ ચૈત્રીપૂર્ણિમાના શુભ પ્રસંગે ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ અને પાવન પર્વ એટલે કે શ્રી રામ ભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ પ્રસંગે ધાર્મિક, સામાજિક અને સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષીઓ માટે માટીના કુંડા અને ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ ૪ કલાકે આયુર્વેદિક કેમ્પ જેમાં આ મુજબના ડોક્ટરશ્રીઓ સેવા આપશે, ડૉ કે.બી.ગોંડલીયા સાહેબ મેડિકલ ઓફિસર અને ડૉ. દેવેન્દ્ર ચૌહાણ સાહેબ મેડિકલ ઓફિસર દ્વારા દરેક દર્દીનું તમામ પ્રકારના રોગનુ નિદાન કરી જરૂર મુજબ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.સાંજે ૪-૩૦ કલાકેથી શ્રી હનુમાનજી મહારાજની પરમ મંગલકારી દિવ્ય આરતી સાંજે ૭  કલાકે નેવેધ્ય થાળ બાદ તમામ દર્શનાર્થીઓને સંતો ભક્તો ભાઈઓ બહેનો મંગળ કરતાં દેવનો મહાપ્રસાદ સૌ એક પંગતમાં બેસી મહાપ્રસાદ લેશે‌. વધુ માહિતી માટે ૯૯૭૯૭૪૧૦૬૧ પર સંપર્ક કરી શકો છો આપ સૌને આ ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા અને શ્રી હનુમાનજી મહારાજના આશીર્વાદ મેળવવા નિમંત્રણ આપવામાં આવે છે. એમ આશ્રમના મહંત શ્રી હનુમાનદાસબાપુની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/