સાવરકુંડલા ખાતે શ્રી વીઠ્ઠલેશ પાઠશાળા જેસર રોડ ઉપર બાળકોને પુષ્ટિ માર્ગનું પાયાનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. હાલ સમર વેકેશન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/04/IMG-20240424-WA0042-900x620.jpg)
સાવરકુંડલા ખાતે શ્રી વીઠ્ઠલેશ પાઠશાળા જેસર રોડ ઉપર આપશ્રીની આજ્ઞાથી ઘણા વષઁથી પુષ્ટિ માર્ગીય પાઠશાળા બાલકો માટે ચાલી રહી છે જેમાં સંચાલક નીલમબેન લાડવા તથા અન્ય બહેનોના સહકારથી બાલકોને પુષ્ટિ માગઁનુ પાયાનુ જ્ઞાન આપવામાં આવી રહ્યું છૈ હાલ સમર વેકેશનને લઈ એક આયોજન કરવામાં આવેલ જેમાં પાંચ વર્ષથી લઈને ચૌદ વર્ષના બાળકોએ ભાગ લીધેલ વિવિધ સ્પર્ધા રાખેલ જેમકે ચિત્રકામ રંગોલી માટીકામ પુષ્ટિમાગ્રિય તથા શ્રીંગાર પ્રશ્નોતરી રમતગમત વિગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ આ કાર્ય સફળ બનાવવા જેમને પાઠશાળાની શરૂઆતથી જ પોતાના મકાનની અંદર જ ચાલુ કરવા પરમ ભગવદીય ભરતભાઈ બૂહા તેમજ આજુબાજુવાળાએ ખુબ જ સહકાર આપી રહ્યા છે
વધુમાં બાળકોને વધુ પ્રોત્સાહન આપવા માટે શ્રી મહાપ્રભુજી બેઠકજીના કમિટીભાઈઓ તથા બહેનોએ હાજરી આપેલ જેમાં વિજયભાઈ વસાણી, કીર્તિભાઈ રૂપારેલ, અરવિંદભાઈ ખીમાણી, હસુભાઈ વડેરા, વલ્લભભાઈ રાદડીયા, મુકુંદભાઈ ચંદારાણાએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ. આ તકે નીલમબેન લાડવા દ્રારા બાળકોના હાથે આવેલા વડીલોને પુષ્પગુચ્છથી સન્માનિત કરેલ જે સમયે ભાઈશ્રી મુકુંદભાઈ ચંદારાણાએ દરેકને બીરદાવેલ તથા વિજયભાઈ વસાણીએ ભરતભાઈ બૂહા બાળકોના વાલીઓ બાળકોના સંચાલકો દરેકને ધન્યવાદ આપેલ સૌનો સાથ સૌનો વિકાસ આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સુત્રને યાદ કરેલ તેમજ દરેક બાળકો તીલક કરી હું વૈષ્ણવ છુ તે ઓળખ આપી શકે ધ્યાન દોરવેલ તથા બહેનોને ખાસ કીર્તન ક્લાસ માટે વિનંતી કરેલ આપણા પ્રભુ કિર્તનથી ખુબ જ રાજી થાય છે જેથી પણ કીર્તન ક્લાસ કરી કીર્તન શીખવા જરૂરી છે
આ તકે પાઠશાળા માટે પોતાના જ મકાનગ્રાઉન્ડ ભાઈશ્રી ભરતભાઈ બૂહા તેમજ નીલમબેન આશીષભાઈ લાડવા તથા પ્રિન્સીપાલ વૈશાલીબેન તેમજ ઉર્વિબેન ધકાણ, નેહલબેન મશરૂ પ્રિયંકાબેન સુચક તથા બીજા બહેનોએ સારી જહેમત ઉઠાવેલ તથા બાલકોને સારૂ પુષ્ટિમાગર્ગીય જ્ઞાન મળી રહે તે માટે તેમના વાલીઓએ સારો એવો સહકાર આપેલ દરેકનો શ્રી મહાપ્રભુજી બેઠકજી વતી તેમજ આપશ્રી વતી વિજયભાઈએ આભાર વ્યક્ત કરેલ તથા સ્મૃતિરૂપે પાઠમાળા કરવા દરેક વિધાથીઁને આસન આપેલ તથા બીજા વૈષ્ણવોએ પણ તનમનધનથી સહકાર આપેલ. આ તકે શ્રી વીઠ્ઠલેશ પાઠશાળાના સંચાલક નીલમબેન લાડવાએ સૌનો આભાર માનેલ તેમજ ભવિષ્યમા આપ સૌનો સાથ સહકાર મળી રહેશે તેવી આશા વ્યક્ત કરેલ છે.
Recent Comments