અમરેલી જિલ્લામાં આવેલ વિવિધ પ્રવાસન અને યાત્રાધામ સ્થળોના વિકાસના કામોની પ્રગતિની સમીક્ષા માટે જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ ની બેઠક
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/ea6a26c7-f2b6-4987-bf9c-1949e681e832-1140x620.jpeg)
વહેલી તકે તમામ પૌરાણિક તેમજ ધાર્મિક મહત્વ ધરાવતા યાત્રા સ્થાનોમાં યાત્રિકોની સવલતના કાર્યો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ.અમરેલી શહેરના મધ્યમાં આવેલ ટાવરને હરીજેટ ટાવર તરીકે રીસ્ટોર કરવા,જલારામ બાપાની ગુરુ ગાદી સમાન ભોજાબાપા ના જન્મ સ્થળને વિકસાવવા, ભુરખીયા હનુમાનજી મંદિર , બાબરા તાલુકાના દરેડ ગામે ભક્ત શિરોમણી આપા મેરામણ ની જગ્યા, સ્વામિનારાયણ મંદિર ધારી તથા બગસરા, આંબરડી સફારી પાર્ક શામળિયા મહાદેવ મોટા બારમણ કુંભનાથ મહાદેવ રાજુલા ગિરધરવાવ સાવરકુંડલા સહિત અનેક પ્રવાસન અને યાત્રાધામ સ્થળોના વિકાસની કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.
આ ઉપરાંત લાઠી તાલુકાના દુધાળા પાસે ત્રિવેણી સંગમ નો પર્યટન સ્થળ તરીકે વિકસાવવા, પાડરશીંગા ગામે વિશ્વનાથ મંદિરના જીણોધાર, નાના માચીયાળા ગામે સંત શ્રી ભોળી આઈ ની જગ્યાનો વિકાસ તેમજ મોટા આંકડિયા ખાતે આવેલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તેમજ ધારી તાલુકાના પાતળા દુધાળા, રાજસ્થળી સહિતના ગામોનું પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા તેમજ રાજુલા તાલુકાનું ધાતરવાડી ડેમના પટમાં આવેલ ધારેશ્વર મહાદેવના સ્થળને વિકસાવવા સહિત અનેક વિકાસ કાર્યોને સમીક્ષા કરવામાં આવી તેમજ વહેલી તકે તમામ પૌરાણિક તેમજ ધાર્મિક મહત્વ ધરાવતા યાત્રાસ્થાનોમાં યાત્રિકોની સવલતના કાર્યો વહેલી તકે હાથ ધરવા કલેક્ટરશ્રી અમરેલીની અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં અધિક કલેકટર , જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ,પ્રવાસન વિભાગના અધિકારીઓ સહિત ની હાજરીમાં સુચના આપેલ આપવામાં આવેલ હતી.
Recent Comments