fbpx
અમરેલી

વિદ્યાર્થીઓ તેમને મૂંજવતા પ્રશ્નો અંગે તજજ્ઞ આચાર્ય-શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૪ જૂન, ૨૦૨૪ થી તા.૦૬ જૂલાઈ, ૨૦૨૪ સુધી ધો. ૧૦ અને ધો.૧૨ ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને મૂંજવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મળી રહે તેવા આશયથી બોર્ડની સૂચના દ્વારા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા તજજ્ઞ શિક્ષકોની કાઉન્સેલિંગ ટીમની રચના કરવામાં આવી છે.              

  જિલ્લાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા શિક્ષકોની ટીમ, આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. જેમાં સરકારી માધ્યમિક શાળા, શાખપુર લાઠીના શિક્ષક શ્રી પી.યુ.તેરૈયા ૯૪૨૭૪ ૧૨૪૮૭, સુ.સા. હાઈસ્કુલ વડિયાના શિક્ષક શ્રી કિરીટભાઈ જોટવા ૯૮૯૮૪ ૬૭૯૯૯, પારેખ અને મહેતા હાઈસ્કુલ જાફરાબાદના શિક્ષક શ્રી વી.બી. અગ્રાવત ૯૪૨૬૯ ૮૫૭૩૫, જી.એન. દામાણી હાઈસ્કુલ, ધારીના શિક્ષકશ્રી. પી.ડી. પટાટ ૯૮૨૫૭ ૩૬૫૫૦, જનતા વિદ્યાલય તાતણીયા, તા.ખાંભાના શિક્ષકશ્રી ધર્મેન્દ્રભાઈ કનાળા ૯૯૯૮૩ ૨૦૦૪૫, સરકારી માધ્યમિક શાળા દેવકા તા.રાજુલાના શિક્ષકશ્રી અનિલભાઈ પરમાર ૭૫૬૭૦ ૩૧૩૩૩નો સંપર્ક કરી શકશે.

જ્યારે એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ માટે  સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા-લીલીયા મોટાના શિક્ષક શ્રી કમલેશભાઈ ખાંધલા ૯૮૯૮૯ ૨૩૧૨૨, સરકારી કમળશી હાઈસ્કુલ બાબરાના શિક્ષક શ્રી દીપકભાઈ મકવાણાનો ૯૦૯૯૭ ૦૧૬૬૧ મોબાઈલ નંબર પર સપંર્ક કરી શકાશે.     

આ ઉપરાંત ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન  ૧૮૦૦૨૩૩૫૫૦૦ શરુ કરવામાં આવી છે, જેમાં સવારે ૧૦.૦૦થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી આગામી તા.૨૧ જૂન, ૨૦૨૪ થી તા.૦૪ જૂલાઈ, ૨૦૨૪ સુધી સંપર્ક કરી શકાશે, તેમ અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/