fbpx
અમરેલી

લીલીયા તાલુકાના સાજણટીંબા મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ-કુક સહિતની જગ્યાઓ માટે તા.૦૬ જુલાઈ સુધીમાં અરજી કરવી

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સાજણટીંબા મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક કમ-કુક (વ્યવસ્થાપક), કુક-કમ-હેલ્પર (રસોઈયા), હેલ્પર (મદદનીશ)ની આવશ્યકતા છે. આ જગ્યા માટેનાં અરજીપત્રકો તા.૦૬ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં લીલીયા તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન યોજના (મ.ભ.યો) શાખામાંથી કચેરી કામગીરી સમય દરમિયાન મેળવી લેવા અને આ અરજી તા.૦૬ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં બપોરે ૨.૦૦ કલાક સુધી રજિસ્ટ્રી ટેબલ પર પહોંચાડવા.

     ઓછામાં ઓછી ધો.૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખે ઓછામાં ઓછી ૨૦ થી ૬૦ વર્ષની વચ્ચેની ઉંમર ધરાવનારા ઉમેદવારોએ આધાર પુરાવા સાથે જરુરી વિગતો ભરીને અરજી પત્રક લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે રજૂ કરવાની રહેશે. આ કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા માટેની અરજી ઉમેદવારોની લાયકાત, ઉંમર સરકારના ઠરાવેલા ધોરણો અનુસાર હશે તેમને રુબરુ જવાનું રહેશે.

આ જગ્યાઓ માટે સરકાર દ્વારા નિયત માનદ વેતન આપવામાં આવશે. અરજી કરવાનું નિયત નમૂના પત્રક લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતેથી જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મળશે. આ નિમણુક અનાજ દળવાની ઘંટી ચલાવતા વ્યક્તિને, વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિને, શાકભાજી, મરી મસાલા, જલાઉ લાકડાનો વ્યાપાર કરતા, અન્ય ધંધાથી વેપાર કરતી કે સસ્તા અનાજની દુકાન ચલાવતી અરજદારો દ્વારા અરજી આપી શકાશે નહીં, તેમ લીલીયા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/