fbpx
અમરેલી

અમરેલી જીલ્લા ભરમાં  “કારગીલ વિજય દિવસ” ની પૂર્વ સંધ્યા એ મશાલ રેલીઓ નું આયોજન દેશભક્તિમય વાતાવરણ

અમરેલી જીલ્લામાં ભારતીય જનતાપાર્ટી તેમજ યુવા મોરચા દ્વારા  કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ દેશ ભક્તિના ગીતો સાથે  મશાલ રેલીઓ નું  આયોજન કરવા માં આવ્યું .અમરેલી,સાવરકુંડલા,રાજુલા,બગસરા,લીલીયા,દામનગર,ચલાલા, બાબરા,કુકાવાવ,ધારી,લાઠી સહીત ના મંડળો માં કાર્યક્રમો યોજાયા  કારગીલ વિજય દિવસ (તા. ૨૬ જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. લગભગ ૩ મહિના સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન, આપણા બહાદુર સૈનિકોએ ૨૬ જુલાઈ, ૧૯૯૯ના રોજ કારગીલમાં વિજય મેળવ્યો હતો. દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને વિવિધ કાર્યક્રમો દ્વારા  ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ છે. તો દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું, “કારગીલ વિજય દિવસ ભારતના અદ્ભૂત યોદ્ધાઓની બહાદુરીની ગાથાને ઉજાગર કરે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે. આ ખાસ દિવસે, હું તેમને હૃદયથી નમન અને વંદન કરું છું, જયહિંદ.” કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે  ભારતીય જનતા પાર્ટીના  માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે. પી. નડ્ડાજીની સૂચના મુજબ આ સંદર્ભે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં અમરેલી જીલ્લામાં વિવિધ મંડળ માંગુજરાત સરકાર ના મુખ્ય નાયબદંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા ધારાસભ્યશ્રીમહેશભાઈ કસવાલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાતેમજ જીલ્લા ભાજપ ના હોદેદારોશ્રી ઓ તેમજ યુવા મોરચાના હોદેદાર શ્રી ઓ પૂર્વ સૈનિકો  સામાજિક આગેવાનો,વેપારી આગ્રણીશ્રી ઓ તેમજ આલગ આલગ સંસ્થા ના આગેવાનો જોડાય આખાજીલ્લા માં દેશભક્તિ મય વાતાવરણ જોવા મળ્યું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/