fbpx
અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમરેલીના ઐતિહાસિક રાજમહેલના પુનઃનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત

 અમરેલીવાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલ (પેલેસ ઑફ અમરેલી)ના પુનઃ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાયકવાડી કાળની આ ઐતિહાસિક ઈમારતનું આશરે રુ.૨૫ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી નવીનીકરણ કરવામાં આવશે.અમરેલી જિલ્લાના લોકોને રુ.૨૯૨ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી પધાર્યા છે. અમરેલી શહેર મધ્ય આવેલો ઐતિહાસિક રાજમહેલ હાલ જર્જરિત સ્થિતિમાં છે ત્યારે, “વારસાના વિકાસ”ને વેગ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ આ ઈમારતના નવીનીકરણના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.અમરેલીના રાજમહેલ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌથી પહેલા પ્રજાજનોને મળવા પહોંચ્યા હતા. સ્થાનિક વકીલો, ડૉક્ટરશ્રીઓ તેમજ નાગરિકોનું અભિવાદન ઝીલતા મુખ્યમંત્રીશ્રીએ તેમની સાથે વાતચીત કરી હતી.રાજમહેલ ખાતે તકતી અનાવરણ કર્યા બાદ પરિસરમાં પ્રદર્શનને ઝીણવટપૂર્વક નિહાળીને તેમણે ઈમારતના ભવ્ય વારસાની વિગતો મેળવી હતી.  આ સાથે ઇમારતનું નવીનીકરણ જે પરંપરાગત પદ્ધતિથી થવાનું છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી.

આ તકે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જે.વી. કાકડીયા, શ્રી જનકભાઈ તળાવીયા, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, નાયબ કલેક્ટર સુશ્રી પૂજા જોટાણીયા વગેરે જોડાયા હતા.

નોંધનીય છે કે, વડોદરાના રાજા ગાયકવાડના સમયનો આ મહેલ ૧૩૨ વર્ષ જૂનો છે. સન ૧૮૯૨માં તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બે માળની આ ઇમારતમાં એક માળની સરેરાશ ઊંચાઈ આશરે ૧૦થી ૧૨ મીટર જેટલી છે. રજવાડી કાળમાં અહીં “લોક-દરબાર” ભરાતો હતો અને લોકોને ન્યાય આપવાની કામગીરી થતી હતી. દેશ આઝાદ થયા પછી સન ૧૯૪૮થી લઈને ૨૦૧૨ સુધી આ ઇમારતમાં જિલ્લા સેવા સદન એટલે કે કલેક્ટર કચેરી કાર્યરત હતી. આ ઈમારતના પ્રાંગણમાં મહારાજા સયાજીરાવ ત્રીજા સર શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડની કાંસ્યની પ્રતિમા મૂકવામાં આવી છે.

અમરેલીના ભવ્ય ઐતિહાસિક વારસાના પુનઃસ્થાપનના હેતુસર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા “અમરેલી શહેરમાં આવેલા રાજમહેલના સંરક્ષણ અને વિકાસની કામગીરી” શરુ કરવામાં આવી છે.આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રુ.૨૫.૦૦ કરોડની મંજૂરી આપી છે. નવીનીકરણ બાદ અમરેલીનો આ ભવ્ય વારસો નવજીવન પામશે.આ ઇમારતનું નવીનીકરણ પણ વિશેષ રીતે કરવામાં આવશે. ઇમારતમાં અંદર તથા બહારના ભાગમાં ડ્રાય-ક્લીનીંગ, છતનું વોટર-પ્રૂફીંગ, ચૂનાના પથ્થરના ઉપયોગથી હયાત ઇમારતનું મજબૂતીકરણ, પ્લાસ્ટરની મદદથી હયાત ઇમારતનું રિપેરીંગ, ઇમારતના રાત્રિ સુશોભન માટે લાઈટીંગ, લાકડાના છત, હેરિટેજ હોટેલમાં તબદીલ, પાર્કિંગની સુવિધા, ગાર્ડન એરિયા, હેરિટેજ લાકડાની સીડીનું રિપેરિંગ, લાકડાના બારી-દરવાજા, ઝરુખાના રિપેરીંગની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઇમારતના નવીનીકરણમાં સિમેન્ટના બદલે ડોલોમાઈટ, ચિરોડી, મેથી, અડદ દાળ, ચૂનો, પથ્થરનો ભૂકો, સુરખી પાવડર, ગુંદ, શંખજીરુ, લીમસીડ એસિડ, ગોળ વગેરેનો ઉપયોગ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/