સાવરકુંડલાના વીજપડી ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા 118મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
વીજપડી આસપાસના ગામોમાંથી 175 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો.
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા આહીર સમાજની વાડી ખાતે 118મો વિનામૂલ્યે નેત્ર નિદાન સાથે નેત્રમની આરોપણ કેમ્પ યોજાયો હતો વીજપડી માધવ સેવા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી, સુદર્શન નેત્રાલય ના સહયોગથી 118મો નેત્ર નીદાન કેમ્પ યોજાયો હતો આકેમ્પના મુખ્યદાતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં આંખના ડોકટરો ની ટીમ દ્વારા 175 દર્દીઓને આંખનું નિદાન, સારવાર અને દવાઓ વિતરણ કરવામાં આવી હતી અને 26દર્દીઓને મોતિયાના ઓપરેશનો વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.
Recent Comments