fbpx
ભાવનગર

હડમતીયા ગામે સંત મુનિબાપા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાએ ધાર્મિક કાર્યક્રમો અને મેળો બંધ

ઉમરાળાના હડમતીયા ખાતે સંત શ્રી મુનીબાપા આશ્રમના સંત કાળુબાપુ દ્વારા આશ્રમ ખાતે યોજાનારા પૂનમ, દેવ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો સદંતર બંધ રાખવામાં આવ્યા છે. જેની શ્રદ્ધાળુઓને નોંધ લેવા જણાવાયું છે. સાથે જ મેળો પણ બંધ રાખવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઉમરાળા તાલુકાના હડમતીયા મુનિબાપા આશ્રમ ખાતે શ્રી પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી કાળુબાપુ દ્વારા દર્શનાર્થે અને પૂનમ ભરવા આવતા શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તા.૨૪/૭/૨૦૨૧ને શનિવારના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી બંધ રાખી છે. સર્વ શ્રધ્ધાળુઓ અને સ્વયંસેવકો તેમજ પૂનમની માનતાઓ પૂર્ણ કરવા આવતા શ્રદ્ધાળુઓને આ અંગે નોંધ લેવા જણાવાયું છે. હડમતીયા મુનીબાપા આશ્રમ ખાતે પૂનમની ઉજવણી કાયમી માટે બંધ કરવામાં આવેલ હોય શ્રદ્ધાળુ ઓની બધીજ માનતાઓ પૂર્ણ થઈ ગણાશે.

હડમતીયા ગામે મેળો પણ સદંતર બંધ છે. ગામની આસપાસ રમકડાં,કપડાં,ખાણી, પીણીની,વસ્તુઓના વેપારીઓને વેચાણ કરવા ન આવવા પણ જણાવવામાં આવ્યું છે અને ગામની કે આશ્રમની આસપાસમાં કોઈ પણ ગાડી ગમે તે જગ્યાએ પાર્ક કરી હોય તેની જવાબદારી આશ્રમની રહેશે નહીં જે તે વ્યક્તિની ગણાશે તેની દરેકે ખાસ નોંધ લેવા પણ જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/