ભાવનગર બાળ કેળવણીના પિતામહ માનભાઈ ભટ્ટના ૧૧૩માં જન્મ દીને શિશુવિહાર ખાતે બાળકોના હસ્તે પુસ્તક વિમોચન
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/09/IMG-20210906-WA0083-1140x604.jpg)
ભાવનગર એક પણ બાળક ને રમવાનું સાધન ન મળે તેવું કદી ન થાય તેવી ઉત્કૃષ્ટ ભાવના થી શિશુવિહાર સંસ્થા(ભાવનગર) માં ત્રણ હજાર બાળકો રમી શકે એટલા સાધનો વિકસાવનાર શ્રી માનભાઈ ભટ્ટનો ૧૧૩ મો જન્મદિવસ ભાદરવી અમાસે બાળકો દ્વારા ઉજવાયો….. એશિયામાં ક્યાંય ન જોવા મળે તેવું ભવ્ય ક્રીડાંગણ સ્થાપનાર. સૌના ભાઈ, માનભાઈ વિશે તૈયાર થયેલ પુસ્તક ની બીજી આવૃત્તિનું વિમોચન બાળકો ના વરદ હસ્તે થયું……પ્રેમશંકર ભટ્ટ અને માનશંકર ભટ્ટ ની જોડી એ ભાવનગર ની શિક્ષણ ભૂમિ ઉપરથી અવૈધિક તાલીમની નું વિચાર બીજ આજથી ૮૩ વર્ષ પહેલા એક હિંચકો નાખીને રોપ્યુ… તેથી આજે નવી શિક્ષણ નીતિમાં પણ કૌશલ્ય તાલીમ નો અભિગમ અપનાવાયો છે …..ભાવનગરના લોકસેવક અને સ્વતંત્ર સેનાનીઓ ને સ્વરાજના ૭૫ મા વર્ષે વંદન
Recent Comments