શિશુવિહાર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર ના સ્વામી નિખિલેશ્વરાનંદજી ની અધ્યક્ષતા માં શિક્ષક પરિસંવાદ કેલેન્ડર વિમોચન
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/10/IMG-20211024-WA0036-1140x620.jpg)
ભાવનગર શિશુવિહાર રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર રાજકોટ ના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી ની પ્રેરક ઉપસ્થિતિમાં શિશુવિહાર ના ઉપક્રમે શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ વિષયે પરિસંવાદ યોજાયો . આ પ્રસંગે નગરપાલિકા દ્વારા શિશુવિહાર નું અભિવાદન થયું હતું તેમજ સ્વામીજી ના વરદ હસ્તે શિશુવિહાર દ્વારા શહેરની ૫૬ શાળાઓને ૧૦૦ પુસ્તક સંપુટ નુ વિતરણ પંદરસો બાળકોને સ્કૂલ કીટનું વિતરણ સ્વરાજના ૭૫ માં વર્ષ પ્રસંગે સુરાજ્ય ઉપલબ્ધિ .ચિત્ર કેલેન્ડરનું વિમોચન તથા દાતા અભિવાદન થયું શહેરના માનનીય મેયરશ્રી તથા શિક્ષણવિદો ની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ બાદ પૂજ્ય સ્વામીજી શિશુવિહાર ના આંગણે પધાર્યા હતા
Recent Comments