માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં અમેરિકા સ્થિત ડો ભુપેન્દ્ર રાજપુરા ની ૧૧ દિવસ અવિરત સેવા ૨૧૦ દર્દી નારાયણો ની નિદાન સેવા બદલ બહુમાન
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/12/IMG-20211210-WA0026-1-1140x620.jpg)
ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ શ્રીસ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા કૃપા અને આશિર્વાદ થી નિર્માણ થયેલ તેમજ કાર્યરત એવી તદ્ન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી હોસ્પિટલ માનવસેવા એજ પ્રભુસેવા સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ખાતે અમેરિકા સ્થિત માનસિક રોગોનાં નિષ્ણાંત ડો.શ્રી ભુપેન્દ્ર રાજપુરા સાહેબ આપણી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માં તા.ર ૧ થી ર ૬ નવેમ્બર તથા તા .૦ ર થી ૦૬ ડીસેમ્બર સુધી કુલ ૧૧ દિવસ માટે સેવા આપી હતી તેમના અમેરિકાના અનુભવ તેમજ પધ્ધતિ દ્વારા કુલ ૨૧૦ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યુ હતુ . તેમજ તેમનાં ધર્મપત્ની શ્રીમતિ કલ્પના બી . રાજપુરા એ હોસ્પિટલના વિવિધ વિભાગમાં નર્સિંગ સ્ટાફ તરીકે સેવા આપી હતી . તેઓ હોસ્પિટલમાં ચાલતા નિઃશુલ્ક સેવાકાર્યથી ખુબ જ પ્રભાવિત થયા હતા . તેઓશ્રીને ટ્રસ્ટીમંડળ વતિ હ્રદયપુર્વક આભાર વ્યકત કરી મોમેન્ટો , શાલ અને બ્ર.પ.પૂ સદ્ગુરૂદેવના પુસ્તક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
Recent Comments