અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા દરિદ્રનારાયણ માટે ફ્રૂટ અને કડકડતી ઠંડીમાં ધાબળાનું વિતરણ કરાયું
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/12/1468-01-1140x620.jpeg)
અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ, ગુજરાત રાજ્યના અધ્યક્ષશ્રી નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આજે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દરિદ્રનારાયણ દર્દીઓ માટે ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કડકડતી ઠંડીમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ. ડો. તુષારભાઈ આદેસરા અને હાર્દિકભાઈ ગાથાણીનો આ માટે જરૂરી સહયોગ મળ્યો હતો.
ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી , ગુજરાત રાજ્ય પ્રવક્તા દીપકભાઈ પરમાર, ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવશ્રી ડો વિશાલભાઈ પટેલ, ગુજરાત રાજ્ય મહિલા મહાસચિવ કોમલબેન ત્રિવેદી, ગુજરાત રાજ્ય કો- ઓર્ડિનેટર શ્રી કાળુભાઈ જાંબુચા, ગુજરાત રાજ્ય સચિવ ઋષિભાઈ સરવૈયા, ભાવનગર શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ, વિષ્ણુભાઈ કાંબડ, રાજુભાઇ સોલંકી, અશોકભાઈ લિંબાની, ભરતભાઈ કોર્પોરેટર, રમેશભાઈ જાદવ, નિલેશભાઈ ભાલીયા,જાગૃતિબેન, નિમિષાબેન, હર્ષાબેન તેમજ ભાવનગર શહેરના સભ્યો દરિદ્રનારાયણ માટેના આ સેવાયજ્ઞમાં જોડાયાં હતાં.
Recent Comments