fbpx
ભાવનગર

સણોસરા દાનેવ આશ્રમને રામદેવરા સ્થાનક સ્થિત રામદેવજી મહારાજના મ્હોરાની પ્રસાદી પ્રાપ્ત થઈ

શ્રી નિરુબાપુના અનુષ્ઠાનના ફળ રૂપે અમૂલ્ય દર્શનીય પ્રસાદી મળ્યાનો ભાવ વ્યક્ત કરતા ભાવિકો
સણોસરા 

દર્શનીય દેવ સ્થાનો કે મંદિરોની અંદર સ્થાપિત કે ધરાયેલા મુખ્ય ઉપકરણો બહાર ન કાઢવાની ધાર્મિક માન્યતા બહાર સણોસરાના શ્રી દાનેવ આશ્રમને મળેલી ભેટથી ભાવિકો પ્રભાવિત થઈ રહ્યા છે. અહીંયા રાજસ્થાનના રામદેવરા સ્થાનક સ્થિત રામદેવજી મહારાજના મ્હોરાની પ્રસાદી  પ્રાપ્ત થઈ છે.
ગોહિલવાડની દર્શનીય જગ્યા પૈકી સણોસરાના શ્રી દાનેવ આશ્રમના મહંત શ્રી નિરુબાપૂ સેવા પૂજા વ્રતમાં રહ્યા છે, જે માત્ર આશ્રમમાં જ ૧૦૦૯ દિવસના અનુષ્ઠાનમાં રહ્યા છે. આ સમય ગાળામાં આશ્રમ દરવાજા બહાર ન જઈ શરૂ રાખેલા અનુષ્ઠાનના ફળ રૂપે અમૂલ્ય દર્શનીય ભેટ રૂપે રણુંજા એટલે કે રાજસ્થાનના રામદેવરાહા સ્થાનકની પ્રસાદી પ્રાપ્ત થયાનો ભાવ વ્યક્ત કરવા સાથે ભાવિકો અહીંયા મૂળ સમાધિ પર રહેલા રામદેવજી મહારાજના મહોરાની વંદના કરી અહોભાવ વ્યક્ત કરી રહ્યા છે. 
મહંત શ્રી નિરુબાપુએ ભાવ પૂર્ણ સ્થિતિમાં જણાવ્યું કે, આ દાનેવ આશ્રમ જેવી આપણી કેટલીક જગ્યાઓ રામદેવપીરની પરંપરા સાથે સંકળાયેલી છે, જેથી અહીંયા પણ રામદેવરા જગ્યાની કોઈ પ્રસાદી રૂપ ચીજ વસ્તુ પ્રાપ્ત થાય તેવો અમારા હૈયામાં સ્વાભાવિક ભાવ હતો. આ રીતે ત્યાંથી પ્રતિક પ્રસાદી તરીકે મુખ્ય મંદિરમાં રહેલ ઘોડા, છત્ર, ચાદર કે અન્ય એવા ઉપકરણોની ભાવ આશા સાથે મૂળ સમાધિ પર રહેલ રામદેવજી મહારાજનું મહોરું મળી જાય ખરું..? મનોમંથનમાં આવી પ્રબળ માંગણી કરી લીધી અને પરિણામ પણ મળી ગયું.
૧૦૦૯ દિવસના અનુષ્ઠાનના લીધે શ્રી નિરુબાપુ તો આશ્રમ બહાર પગ મુકતા નથી, તો હવે એક જાણીતા વેપારીના સંપર્ક મુલાકાત બાદ આશ્રમના સેવકોને મોકલાયા અને ત્યાંના મંદિરના મુખ્ય વહીવટકર્તાઓ સુધી સંદેશો પહોંચાડાયો, લાગણી અને ઈચ્છા પૂરી થાય તે અઘરી બાબત હોવા છતાં સૌએ પોતાની શ્રદ્ધા રામદેવપીરની સામે ધરી અને આ નિજસમાધી સ્થાનક પર રહેલા મહોરા સાથે ઉપરનું મોટું છત્ર તેમજ ઘોડા સાથેની આ ઐતિહાસિક દર્શનીય પ્રસાદી સેવકોને અર્પણ કરવામાં આવી. સેવકોને હરખનો પાર ન રહ્યો અને આ દર્શનીય ઉપકરણોને શ્રી નિરુબાપુ ગુરુ શ્રી વલકુબાપુના હસ્તે ધાર્મિક વિધિ અનુસાર લઘુમહંત શ્રી પ્રવિણદાસજી મહારાજ અને સેવકોના સંકલન સાથે આશ્રમના મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ છે.
કોઈ મુખ્ય દેવસ્થાનો દ્વારા આશીર્વાદ કે પ્રસાદ રૂપે વિવિધ વસ્તુ કે ઉપકરણો વગેરે ભાવિકો કે દાતાઓને અપાય તે સ્વાભાવિક હોય છે, પણ મંદિર સ્થાનકના મુખ્ય આરાધ્ય દેવની મુખ્ય ચીજવસ્તુ કોઈને અપાતી હોતી નથી, ત્યારે આ  પ્રસાદી મળવી એ ધન્યતાની બાબત રહેલી હોવાનું સૌ જણાવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/