fbpx
ભાવનગર

 માંડવડા 1 પ્રાથમિક શાળામાં યોજાયેલ “સૂરજબા પ્રાર્થના કક્ષ” નો લોકાર્પણ કાર્યક્રમ

 
             પાલીતાણા તાલુકાની શ્રી માંડવડા 1 પ્રાથમિક શાળામાં શ્રીમતી સૂરજબેન ચુનીલાલ છગનલાલ શાહ પરિવાર દ્વારા તથા લોક સહયોગથી અને શ્રી પરમાણંદદાદા શાહની પ્રેરણા  થી નિર્માણ થયેલ “સૂરજબા પ્રાર્થના કક્ષ “નો લોકાર્પણ કાર્યક્રમ  યોજાય ગયો. ગ્રામજનોની બહોળી સંખ્યાની ઉપસ્થિતિમાં પરમાણંદદાદાનું શાળાની બહેનો દ્વારા સામૈયું કરીને સ્વાગત કર્યા બાદ તેના વરદ હસ્તે પ્રાર્થના કક્ષને  બાળકોના શિક્ષણ કાર્યના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવેલ.        

    આ કાર્યક્રમમાં માતૃશ્રી રંભાબેન અમૃતલાલ શાહ પરિવાર હસ્તે શ્રીમતી સુશીલાબેન પરમાનંદ શાહ  અને  રસીલાબેન ધીરજલાલ મહેતા પરિવાર તરફથી મળેલ શૈક્ષણિક કીટ અને  રેખાબેન મહેન્દ્રભાઈ મહેતા તથા  પ્રિયાબેન ગૌરાંગભાઈ મહેતા  દ્વારા મળેલ બોલપેનનું વિતરણ શાળાના દરેક બાળકને કરવામાં આવેલ. સાથે પ્રાર્થના કક્ષ બનાવવામાં ઉપયોગી થયેલ કડિયા, મિસ્ત્રી, સરપંચ શ્રી, એસએમસી અધ્યક્ષ ,આચાર્યશ્રી વગેરેનું શ્રી પરમાનંદદાદાએ સાલ ઓઢાડીને સન્માન કરેલ.     આ કાર્યક્રમમાં પાલીતાણાના બીઆરસી  હાર્દિકભાઈ ગોહિલ , સી.આર.સી શ્રી જયંતીભાઈ ચૌહાણ, કે.વ.શાળાના આચાર્યશ્રી વાળા, લાલજીભાઈ સોલંકી, શાળાના ભૂતપૂર્વ આચાર્ય  મગનભાઈ ગોહિલ તેમજ પ્રવીણભાઈ ગોહીલ ,શાંતિલાલભાઈ પંડ્યા, ઘનશ્યામભાઈ ચભાડીયા અને સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/