fbpx
ભાવનગર

ભાતીગળ ભરતગૂંથણના મંચ પરથી ભારતભૂમિની ભાવવાણીમાં ભીંજાયા ભાવુકો

શેત્રુંજીની છાયામાં તળાજા તાલુકાના ટીમાણા ગામે આજે ભાતીગળ ભરતગૂંથણના મંચ પરથી ભારતભૂમિની ભાવવાણી રજૂ થઈ ત્યારે સૌ ભાવુકો રસથી ભીંજાયા હતા. ‘વસુંધરાની વાણી’ કાર્યક્રમમાં મોજ પડી ગઈ.
ગોહિલવાડની ભૂમિ પર ત્રિદિવસીય ‘વસુંધરાની વાણી’ કાર્યક્રમમાં ત્રીજા દિવસે સવારે ટીમાણા ગામે શ્રી ગણેશ વિદ્યાલય ખાતે દેશના વિવિધભાગના કલાકારોએ સૌને પરમતત્વને પામવાના સંદેશા રૂપી ભજન વાણી પીરસી હતી.
જાણિતા સર્જક અને મોજીલા એવા શ્રી ધ્રુવ ભટ્ટના નેતૃત્વ સાથે લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના સહકાર સાથે શેત્રુંજીની છાયામાં ટીમાણા ગામે આજે કાંધી, તોરણ, ચાકળા…વગેરે ભાતીગળ ભરતગૂંથણના સજાવેલા મંચ પરથી ભારતભૂમિની ભાવવાણી રજૂ થઈ હતી. જેમાં શ્રી બટુકભાઈ પનોત, શ્રી મહાશંકરભાઈ લાધવા સાથે શ્રી લખનભાઈ જાની દ્વારા સુંદર સહયોગ રહ્યો.
આ ઉપક્રમના અગ્રણી શ્રી શબનમ વિરાણી સાથે જેસલમેર, કચ્છ તેમજ બંગાળના કલાકારોએ પોતપોતાના પ્રદેશની તળપદી ભજન વાણી પીરસી હતી જેમાં સૌ ભાવુકો રસથી ભીંજાયા હતા. 
શ્રી ગણેશ વિદ્યાલયના વિદ્યાર્થીઓ શ્રી યશ ધામેલિયા, શ્રી જૈનમ પરમાર, શ્રી પૂષ્પા પંડ્યા તથા શ્રી સાક્ષી ધાંધલા દ્વારા કલાકારોના પરિચય અપાયા હતા.
અહીંના અગ્રણી શ્રી ભાઈશંકરભાઈ ધાંધલ્યાએ શ્રી ઝવેરચંદ મેઘાણીના સ્મરણ સાથે રચના રજૂ કરેલ.
ત્રિદિવસીય આયોજનમાં શ્રી પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારના શ્રી ભાવનાબેન પાઠક, શ્રી પાતુભાઈ આહીર, શ્રી એભલભાઈ ભાલિયા સાથે ઢેઢુકી સંસ્થાના શ્રી ચૈતન્યભાઈ ભટ્ટ અને કાર્યકરો તથા વિદ્યાર્થીઓ જહેમતમાં રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/