ગારીયાધાર શહેર ને નલ સે જલ ક્યાં પહોંચે ? ત્રણ વર્ષ થી લાઈન તૂટી ખેતર માં કાયમ બે વિધા જમીન માં નર્મદા નું પાણી ભરેલ રહે છે
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/04/IMG_20220423_212049-1080x620.jpg)
દામનગર થી પાલીતાણા ગારીયાધાર જતી પાણી પુરવઠા ના લાઈન ત્રણ વર્ષ થી સતત ખુલ્લા ખેતર માં ચાર મોટર જેટલું પાણી જઈ રહ્યું છે ગારીયાધાર નલ સે જલ ક્યાં પહોંચે ? ત્રણ વર્ષ થી લાઈન તૂટી ખેતર માં કાયમ બે વિધા જમીન માં નર્મદા નું પાણી ભરેલ રહે છે દામનગર ના ખેડૂત ની રાભડા ગામે ખેતી ખાતા ની ચાર વિધા જમીન આવેલ છે જેમાં બે વિધા જમીન માં કાયમી તળાવ સમાંતર નર્મદા નું પાણી ભરાયેલ રહે છે ખેડૂત ખેતી કરી શકતો નથી અને ગારીયાધાર શહેર ને પૂરતું પાણી પહોંચતું નથી પાણી પુરવઠા ના ગુલાટી બાજ પોતા ના અંગત વેપાર દુકાનો માંથી નવરા પડે તો પાણી પુરવઠા કચેરી એ જાય ને ? વર્ષો થી એજક જગ્યા એ નોકરી કરી પોતા ના વેપાર માં રચ્યા પચ્યા રહ્યા પાણી પુરવઠા કચેરી ઓ કાળો કારોબાર કોન્ટ્રક પ્રથા થી ચાલતો હોય તો કર્મચારી માત્ર પગાર મેળવી રહ્યા છે સેવ વોટર જળ બચાવો અભિયાન દામનગર ક્યારે પહોંચશે ? આ ખેડૂતે અનેક વખત રજૂઆત કરી પણ પુરવઠા ના ગુલાટી બાજ ને ક્યાં પડી છે કરોડો નું કેપિટલ એસેટ બજેટ ખર્ચ કરતી સરકાર ના પોતા ના ફૂટલા હોય તો શું
Recent Comments