શેત્રુંજી ડેમ શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓને રસ પુરીના જમણવાર સાથે વિદાયમાન અપાયું
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/05/IMG-20220504-WA0008-1140x620.jpg)
ભાવનગર જિલ્લાના જાણીતા પર્યટન સ્થળ શેત્રુંજી ડેમ ખાતેની કેન્દ્રવતી શાળા માં અભ્યાસરત આઠમા ધોરણના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ધોરણ ૯માં અભ્યાસ અર્થે જતા ઉષ્માસભર વિદાય આપવામાં આવ્યું હતું.ધોરણ આઠના વર્ગ શિક્ષિકા અલ્પાબેન દર્શકકુમાર ગોરજીયા દ્વારા શાળાના તમામ બાળકોને રસ પુરી સાથે ભોજન કરાવવામાં આવ્યું હતું. સાથે કેજીબીવી ની તમામ દીકરીઓને પણ ભોજન કરાવવામાં આવ્યું હતું.વિદાય પ્રસંગે આચાર્ય ધવલભાઇ જોશી સહિતના શિક્ષકોએ પ્રેરક ઉદબોધન કરી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શિક્ષણ અને ટેકનોલોજી આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ સમજાવીને આગળ અભ્યાસ શરૂ રાખવા શીખ આપી હતી. વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના શાળા શિક્ષણના અનુભવો પણ વર્ણવ્યા હતા.
Recent Comments