fbpx
ભાવનગર

ભાવનગરના સિહોર ખાતે સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાઇ

જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરના સિહોર ખાતે “હમારા તિરંગા ,હમારા અભિયાન” અંતર્ગત સરપંચશ્રી હીરાભાઈ એમ. સાંબડ તથા તેમની ટીમ દ્વારા સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિલોમીટરની ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.

આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મુકેશભાઈ કળોતરા, લક્ષ્મણભાઈ ડાભી, બાબુભાઈ કાકડીયા, અને શાળાના શિક્ષકો, તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/