રોજગાર કચેરી, ભાવનગર દ્વારા નિવાસી સંરક્ષણ ભરતી અંગે તાલીમ વર્ગનું આયોજન
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/08/photo_1628011330402-1.jpeg)
આગામી ઓક્ટોબર-૨૦૨૨ માં રાજકોટ ખાતે યોજાનાર અગ્નિપથ યોજના અન્વયે અગ્નિવીર લશ્કરી ભરતી રેલી અનુસંધાને ભાવનગર જિલ્લાનાં ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગનું નિ:શુલ્ક આયોજન થવાનું હોય, તાલીમ વર્ગમાં જોડાવાં ઈચ્છુક ઉમેદવારો કે જેણે અગ્નિવીર સોલ્જર જનરલ ડ્યૂટીમાં ઓનલાઈન એપ્લીકેશન કરેલ છે તેમજ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઘોરણ-૧૦ પાસ લઘુત્તમ ૪૫% અને દરેક વિષયમાં લઘુત્તમ ૩૩ ગુણ તથા ઉંચાઈ : ૧૬૮ સે.મી., વજન : ૫૦ કિગ્રા અને છાતીનું માપ : ૭૭-૮૨ સે.મી. હોવું જોઈએ.
તથા ઉમેદવારોની જન્મ તારીખ ૦૧/૧૦/૧૯૯૯ થી ૦૧/૦૪/૨૦૦૫ વચ્ચે હોવી આવશ્યક છે. મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, એનેક્સી બિલ્ડીંગ, બહૂમાળી ભવન, ભાવનગર કચેરી ખાતેથી વહેલા તે પહેલાનાં ધોરણે તા.૨૨/૦૮/૨૦૨૨ થી તા.૨૬/૦૮/૨૦૨૨ (૧૧:૦૦ થી ૦૫:૦૦) દરમિયાન રૂબરૂ ફોર્મ મેળવી જરૂરી પ્રમાણપત્રો સાથે પરત કરવાનાં રહેશે.
Recent Comments