fbpx
ભાવનગર

તિરંગા યાત્રાના રૂટ પર વાહનોની અવાર જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

આઝાદીના અમૃત મહોત્સવના ૭૫ માં વર્ષની ઉજવણી અંતર્ગત રાજ્યમાં તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાય રહેલ છે, જેના ભાગરૂપે આગામી તા .૧૩/૦૮/૨૦૨૨ ના રોજ ભાવનગર શહેર એ.વી. સ્કુલ ગ્રાઉન્ડ ખાતેથી કલાક ૧૬-૩૦ થી તિરંગા યાત્રા નિકળનાર છે, જે યાત્રા અન્વયે એ વી સ્કૂલ ગ્રાઉન્ડ થી નવાપરા, દરબાર બોડીંગ, હલુરીયા ચોક, હાઈકોર્ટ રોડ, ઘોઘાગેઈટ, મેઈન બજાર,  ખાર ગેઈટ, મામાકોઠા, બાર્ટન લાયબ્રેરી ચોક, હલુરીયા ચોક થઈ પરત એ.વી. સ્કુલ ગ્રાઉન્ડ ખાતે આવશે

જેથી આ તિરંગા યાત્રાના રૂટ પર ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે સારું આ તિરંગા યાત્રાના રૂટ પર તમામ પ્રકારના વાહનોની આવવા – જવા પર તા .૧૩/૮/૨૨ ના કલાક ૧૫-૩૦ થી કલાક ૧૯-૩૦ સુધી આ રૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી ભાવનગરના પત્ર નં એલઆઈબી/જાના/૩૬૯૯/૨૨, તા. ૯/૮/૨૦૨૨ થી દરખાસ્ત રજુ થતાં ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩ ( ૧ ) ( બી ) હેઠળ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ , ભાવનગર જિલ્લો , ભાવનગર તિરંગા યાત્રાના રૂટ પર તમામ પ્રકારના વાહનોના આવવા જવા પર તા .૧૩/૦૮/૨૦૨૨ ના કેટલાક ૧૫-૩૦ થી કલાક ૧૯-૩૦ સુધી સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે હેડ કોન્ટેબલ થી નીચેના ન હોઈ તેવા ફરજ પરના અધિકારીશ્રી ને અધિકાર રહેશે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/