તિરંગા યાત્રાના રૂટ પર વાહનોની અવાર જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/08/laf_1647354065.jpg)
આઝાદીના અમૃત મહોત્સવના ૭૫ માં વર્ષની ઉજવણી અંતર્ગત રાજ્યમાં તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાય રહેલ છે, જેના ભાગરૂપે આગામી તા .૧૩/૦૮/૨૦૨૨ ના રોજ ભાવનગર શહેર એ.વી. સ્કુલ ગ્રાઉન્ડ ખાતેથી કલાક ૧૬-૩૦ થી તિરંગા યાત્રા નિકળનાર છે, જે યાત્રા અન્વયે એ વી સ્કૂલ ગ્રાઉન્ડ થી નવાપરા, દરબાર બોડીંગ, હલુરીયા ચોક, હાઈકોર્ટ રોડ, ઘોઘાગેઈટ, મેઈન બજાર, ખાર ગેઈટ, મામાકોઠા, બાર્ટન લાયબ્રેરી ચોક, હલુરીયા ચોક થઈ પરત એ.વી. સ્કુલ ગ્રાઉન્ડ ખાતે આવશે
જેથી આ તિરંગા યાત્રાના રૂટ પર ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે સારું આ તિરંગા યાત્રાના રૂટ પર તમામ પ્રકારના વાહનોની આવવા – જવા પર તા .૧૩/૮/૨૨ ના કલાક ૧૫-૩૦ થી કલાક ૧૯-૩૦ સુધી આ રૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી ભાવનગરના પત્ર નં એલઆઈબી/જાના/૩૬૯૯/૨૨, તા. ૯/૮/૨૦૨૨ થી દરખાસ્ત રજુ થતાં ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩ ( ૧ ) ( બી ) હેઠળ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ , ભાવનગર જિલ્લો , ભાવનગર તિરંગા યાત્રાના રૂટ પર તમામ પ્રકારના વાહનોના આવવા જવા પર તા .૧૩/૦૮/૨૦૨૨ ના કેટલાક ૧૫-૩૦ થી કલાક ૧૯-૩૦ સુધી સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે હેડ કોન્ટેબલ થી નીચેના ન હોઈ તેવા ફરજ પરના અધિકારીશ્રી ને અધિકાર રહેશે.
Recent Comments