ભાવનગરના વરિષ્ઠ અધિકારીઓની કચેરીઓ પણ તિરંગાના રંગે રંગાઈ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/08/1388-04-1140x620.jpeg)
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે, ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લા સાથે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ એવાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડાની કચેરીઓ પણ તિરંગાને રંગે રંગાઈ છે.આ ઉજવણીમાં ભાવનગરના લોકો માનભેર પોતાના ઘરે ત્રિરંગો લગાવી રહ્યાં છે ત્યારે સરકારી કચેરીઓમાં પણ ત્રિરંગો લગાવીને ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.
તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી યોજનારા “હર ઘર ત્રિરંગા” અભિયાન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના તમામ નાગરિકોને પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવાના કરેલા આહવાનને પગલે ભાવનગર શહેરના તમામ વિસ્તારો ત્રિરંગામય બન્યાં છે.ભાવનગરમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, કોર્પોરેશન ઓફિસો, પોલીસ અધિક્ષકની કચેરી, રેન્જ આઈ. જી. કચેરી સહિતની સરકારી કચેરીઓમાં માન–સન્માનપૂર્વક ફરકાવવામાં આવેલો તિરંગો ફરકી રહ્યો છે.
Recent Comments