પાલીતાણા તાલુકાની થોરાળી (ડેમ)પ્રા. શાળા ના બાળકોને જૈન દાતા દ્વારા દાનની સરવાણી…
પાલીતાણા તાલુકાની થોરાળી (ડેમ)પ્રા. શાળામાં શ્રી વચ્છરાજ માવજી બોથરા જૈન રિલિજિયસ ટ્રસ્ટ-પાલીતાણા દ્વારા શાળાના 250 થી વધુ વિદ્યાર્થીઓને બે બે જોડ સ્કૂલ યુનિફોર્મ કે જે આશરે 2,21,000/- જેટલી માતબર રકમનું વસ્તુ સ્વરૂપે દાન આપેલ છે. તેમજ મધ્યાન ભોજનમાં ઉપયોગ માટે 50 જેટલી ડીશ આપેલ.આ દાન સ્વીકારી શાળાના ફૂલ જેવા બાળકો આનંદિત થયા છે. તેમજ શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ દવે, ઉપાચાર્ય શ્રી કુવાડીયા રાવતભાઇ તથા શાળા સ્ટાફ, કે.વ. શાળા આચાર્યશ્રી ધવલભાઇ જોશી, સી.આર.સી શ્રી નરેન્દ્ર સિંહે આભારની લાગણી વ્યક્ત કરી છે. શાળા એસએમસી તથા ગ્રામ પંચાયત, થોરાળી સમસ્ત ગામ દ્વારા દાતાશ્રીએ દર્શાવેલ બાળકો પ્રત્યેની લાગણી માટે આભાર વ્યક્ત કરે છે.
Recent Comments