fbpx
ભાવનગર

પાલીતાણા ખાતે યોજાનાર કાર્તિકી પુનમનો જૈન મેળામાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે “નો પાર્કિંગ” અંગે જાહેરનામુ બહાર પડાયુ 

 આગામી તા.૭-૮/૧૧/૨૦૨૨ ના રોજ કાર્તિકી પુનમનો જૈન મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસર પાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં તા.૦૭/૧૧/૨૦૨૨ થી તા.૦૮/૧૧/૨૦૨૨ (દિન-ર) માટે વાહન પાર્કીંગ ન કરે તે માટેનું “નો પાર્કીંગ” નું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા આથી પાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં વાહનો પાર્કીંગ ન કરવા તા.૦૭/૧૧/૨૦૨૨ થી તા.૦૮/૧૧/૨૦૨૨ સુધી દિન -૨ માટે “નો પાર્કીંગ ઝોન” જાહેર કરેલ છે.

આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજાના ન હોય તેવા ફરજ ઉપરના કોઈપણ અધિકારીશ્રી અધિકૃત રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષા થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/