ઉમરાળા તાલુકા કક્ષાનો તા.૨૧ ડિસેમ્બરે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/12/images-2022-03-31T143817.606-2.jpeg)
રાજ્ય સરકારના આદેશ અનુસાર તા.૨૧ ડિસેમ્બર ૨૦૨૨, બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે માન.મુખ્યમંત્રીશ્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે મામલરદારશ્રી, ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગેનો કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામા આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી શકાશે નહી તેમ મામલતદારશ્રી, ઉમરાળાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments