fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં સાંસદના હસ્તે પીથલપુર ખાતેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ

સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતે સાંસદ ડો.ભારતીબેન શિયાળના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી જનશક્તિના સહયોગથી જળશક્તિ માટેના ‘સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ તકે ઉપસ્થિત સાંસદ ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, જળ એ જ જીવન છે ની ભાવનાથી કામ કરતી રાજ્ય સરકાર છે જળ સંચયના આગોતરા આયોજન માટે ૨૦૧૮માં સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના થકી કામગીરી કરવાથી જમીનના તળ ઉંચા આવે છે ઉંધી રકાબી સમાન સૌરાષ્ટ્રના પ્રદેશ માટે સુજલામ સુફલામ યોજના આશીર્વાદ રૂપ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જિલ્લામાં નર્મદાના નીર પહોંચાડીને સુજલામ- સુફલામ યોજના દ્વારા પાણીની સમસ્યાઓનો કાયમી અંત લાવ્યો છે. લોકભાગીદારીથી તળાવો ઉંડા કરવા અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા આજના સમયની માંગ છે. જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખે જણાવ્યું હતું કે, દિન-પ્રતિદિન પૃથ્વી ઉપર પાણી ઘટતું જાય છે ત્યારે જળ સંચય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના થકી દરિયામાં વહી જતું પાણી સંગ્રહ કરવા માટેની ખૂબ જ સારી યોજના છે. જળસંચય એ સામૂહિક જવાબદારી છે ત્યારે જળ સંચય માટે પ્રજાએ પણ જાગૃત થવું જરૂરી છે ત્યારે સરકારના આ ઉમદા કાર્યક્રમમાં જનભાગીદારીમાં વધુમાં વધુ લોકો જાેડાય તો આ યોજનાનો હેતુ સાર્થક થશે અને ચોમાસાના વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાશે.

ભાવનગર જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૩” અંતર્ગત અંદાજિત ૬૬૬ જેટલાં કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, સુજલામ સુફલામ જળ અભિયાન તા.૧૭ ફેબ્રુઆરીથી તા.૩૧મી મે એટલે કે ૧૦૪ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં યોજાવાનું છે. આ અભિયાન અન્વયે ૨૦૨૩ના વર્ષમાં પણ તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડી-શીલ્ટિંગના કામો, રીપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવિત કરવાના અને નહેરોની, કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, પ્રાંત અધિકારી હિતેશ જનકાટ, પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર આર. એમ. ભાલીયા, તાલુકા વિકાસ અધિકારી પી.કે.રાવત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/