શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી આરોગ્ય શિબિર યોજાય
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/03/IMG-20230228-WA0043-1-1140x620.jpg)
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી ગત જુલાઈ થી ડિસેમ્બર માસ 2022 દરમિયાન ભાવનગરના કાંઠા વિસ્તારના ભાલ પંથક ના ગામો ની શાળાઓમો બાળકો ની લોહી માં હિમોગ્લોબીન તપાસ કરી દવા વિતરણ કાર્યક્રમ કરવા માં આવેલ. શાળા પરિસરમાં યોજેલ આરોગ્ય શિબિર દરમિયાન 10% થી ઓછું હિમોગ્લોબિન ધરાવતા બાળકો માટે રી- ચેકઅપ કેમ્પ તા.27 ફ્રેબ્રુઆરી ના યોજાઈ ગયો.
ભડભીડ , કોટડા તથા ગણેશગઢ ની શાળા ના બાળકો માટે ના કાર્યક્રમમાં જરૂરિયાત ધરાવતા 43 વિધાર્થી ને શિક્ષકોની હાજરીમાં માર્ગદર્શન સાથે દવા આપવામાં આવી હતી નિરમા ઉદ્યોગ દ્વારા વિદ્યાર્થીઓની વિશેષ કાળજી માટે યોજાયેલ ફોલોપ શિબિર થકી જાણવા મળ્યું કે બાળકોના હિમોગ્લોબિન માં 62% જેટલો સુધાર નોંધનીય રહ્યો છે.
શિશુવિહાર થી ટેક્નિશિયન. શ્રી રેખાબહેન ભટ્ટ તથા નિરમા લિમિટેડના આસીસ્ટન્ટ શ્રી યોગેશભાઈ રામાનુજન તેમજ શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ , શ્રી ભગાભાઈ તથા શ્રી હિરેનભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..
Recent Comments