fbpx
ભાવનગર

સણોસરામાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાશે સમૂહ યજ્ઞોપવિત સમારોહ

ભાવનગર જિલ્લાના સણોસરામાં શ્રી દાનેવ આશ્રમ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા અક્ષય તૃતિયા પર્વે સમૂહ યજ્ઞોપવિત સમારોહ યોજાનાર છે.

બ્રાહ્મણ માટે જનોઈ એટલે યજ્ઞોપવિત વિધિએ અનિવાર્ય અને મહાત્મ્યપૂર્ણ સંસ્કાર છે. આ માટે ભાવનગર જિલ્લાના સણોસરામાં શ્રી નીરૂબાપુના સહયોગ સાથે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શ્રી દાનેવ આશ્રમ ખાતે સમૂહ યજ્ઞોપવિત આયોજન કરાયું છે.

વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતિયા પર્વે શનિવાર તા.૨૨-૪-૨૦૨૩ના યોજાનાર યજ્ઞોપવિતમાં જોડાવા ઈચ્છતા બટુકના વાલીઓએ જરૂરી વિગતો નિયત નમૂનામાં સોમવાર તા.૧૦-૪-૨૦૨૩ સુધીમાં આયોજકોને મોકલી આપવા અનુરોધ છે. આ માટે શ્રી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય – સણોસરા (૯૪૨૭૨ ૩૩૦૮૯) તથા શ્રી જયેશભાઈ પંડિત – રંઘોળા (૯૪૨૬૨૩૯૫૦૩) પાસેથી વધુ જાણકારી મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/