મણીપુરની ઘટના પીડાદાયક છે :મોરારિબાપુ
પુ.મોરારીબાપુએ “માનસ નવસો” દ્વાદશ જ્યોતિર્લિંગ કથાના પ્રારંભે હરિદ્વાર રેલ્વે મથક ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તથા એક હિન્દી ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં પત્રકારો દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં એક ભારતીય નાગરિક તરીકે પ્રતિક્રિયા આપી કહ્યું કે આ ઘટના સૌ કોઈ ભારતવાસીઓ માટે પીડાદાયક છે. આવી નિંદ્ય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને આપણો ભારત એક અને નેક બની રહે. આવી ઘટનાઓ કદી પણ બનવી ન જોઈએ તે આપણી પંરપંરા અને મુલ્યો માટે પણ ખુબ દુઃખદ છે .વ્યાસપીઠના પ્રવક્તા તરીકે હું તે વાતને નિદાપાત્ર ગણાવુ છું.મણીપુર હિંસા અટકે તે પણ એટલું જ જરૂરી છે.
બાપુની કથા સાંપ્રત સમયે રેલયાત્રા દ્રારા બારેય જ્યોતિર્લિંગમાં યોજાય છે.આજે આંધ્રના શ્રી મલ્લિકાર્જુન ખાતે કથા ચોથા પડાવે પહોંચી હતી.કથાનો સોમનાથ ખાતે 7 ઓગસ્ટના રોજ વિરામ થશે.
Recent Comments