પોષક આહાર મળી રહે તે હેતુથી મધ્યાન ભોજન ઉપરાંત હૈદરાબાદ મિક્ષ્ચર આપવાની પ્રવૃત્તિ પહેલી સપ્ટેમ્બર થી પ્રારંભ થશે.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/IMG-20230824-WA0069-1140x620.jpg)
ભાવનગર નિરમા ઉદ્યોગ આસપાસના ૧૦ ગામડાઓની આંગણવાડી માં તાલીમ લેતા ૪૦૦ બાળકોને પોષક આહાર મળી રહે તે હેતુથી મધ્યાન ભોજન ઉપરાંત હૈદરાબાદ મિક્ષ્ચર આપવાની પ્રવૃત્તિ પહેલી સપ્ટેમ્બર થી પ્રારંભ થશે.. શિશુવિહાર સંસ્થાના છેલ્લા આઠ વર્ષના અનુભવ આધારે અતિ કુપોષિત બાળકો ની આરોગ્ય તપાસ બાદ પસંદ કરાયેલા પ્રત્યેક બાળકોને વર્ષ દરમિયાન આપનાર ૨૦૦ ખોરાક થકી ૭૦ થી ૭૫ ટકા બાળકો અતિ કુપોષિત માંથી પોષિત સ્તરે પહોંચી જશે તેવી યોજના પણ વિચારી છે… ગરીબી વશત ગ્રામ બાળકો ના સ્વાસ્થ્ય ઉપર ઉભી થતી માઠી અસરને દૂર કરવા નિરમા ઉદ્યોગ તથા ભાવનગર સ્થિત શિશુવિહાર સંસ્થાનો પ્રયત્ન પ્રશંશનીય રહે છે.. સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ ભાવનગર તાલુકા ના સીડીપીઓ શ્રી હર્ષિદાબેન જાની તેમજ બ્લોક કોર્ડીનેટર શ્રી વિકાસભાઈ શુક્લ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠક થકી આજે સમગ્ર પ્રવૃત્તિનો પરિચય આપવામાં આવેલી…..
Recent Comments