fbpx
ભાવનગર

આયુષ્યમાન ભવઃ મહાઅભિયાન અંતર્ગત સિહોર ખાતે રક્તદાન શિબિર યોજાઇ

ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ભારતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન એવા  “આયુષ્યમાન ભવઃ” મહાઅભિયાનનાં ઉપલક્ષ્યમાં તા.૧૭-૦૯-૨૩ રવિવારના રોજ તાલુકા હેલ્થ ઓફીસ સિહોર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર સિહોર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ચંદ્રમણીકુમાર પ્રસાદ અને ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રીનાં માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવેલ હતો. રક્તદાન શિબિરમાં રક્તદાતા તરીકે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ પ્રથમ રક્તદાન કરીને જનસમુદાય અને લાભાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા. તાલુકા અને જીલ્લાનાં પદાધીકારીશ્રીઓ, લોક આગેવાનો, નાગરિકો, તથા તાલુકા-જીલ્લાનાં આરોગ્ય અધિકારી તથા સ્ટાફે પણ સ્વૈચ્છીક રીતે રક્તદાન કરેલ હતું.

આમ, કેમ્પમાં કુલ ૧૮ યુનિટ રક્તદાન આવેલ હતું. કેમ્પમાં ભાવનગર બ્લડ બેંક, સર.ટી. હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી “રક્તદાન એજ મહાદાન” નાં સુત્ર ને સાર્થક કરી આ કેમ્પને સફળ બનાવવામાં આવેલ હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/