ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ ઓક્ટોબરનાં રોજ યોજાશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/09/citywatch-16-300x132-5-1024x451-55.jpg)
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે: ઓક્ટોમ્બર- ૨૦૨૩ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૧૦/૨૦૨૩ નાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ કલેક્ટરશ્રી, ભાવનગર પ્રાંત, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૬/૧૦/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ધોધા ખાતે સ્વીકારવામાં આવશે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદારશ્રી, ઘોઘાની યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments