ભાવનગર શિશુવિહાર ની સાંપ્રદાયિક સૌહાર્દ પ્રગટાવતો નવરાત્રી ઉત્સવ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/IMG-20231021-WA0001-1140x620.jpg)
ભાવનગર શિશુવિહાર નવરાત્રી ઉત્સવ…શિશુવિહાર ક્રિડાંગણ . સ્કાઉટ તાલીમાર્થીઓ અને તેના પરિવારજનો માટે નવરાત્રી પર્વ યોજાઇ રહ્યું છે… સાંપ્રદાયિક સૌહાર્દ રૂપે તમામ નાગરિકો માટેના ઉત્સવના સાતમા દિવસે ગરબા પછી આરતી સુશોભન અને વેશભૂષા ગરબા યોજવામાં આવ્યા હતા. જેમાં ૨૫૦ થી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓ એ ભાગ લઈને ઉત્તમ દેખાવ કર્યો હતો ..
આ પ્રસંગે સ્વ જગદીશભાઈ ત્રિવેદી ની પુણ્ય સ્મૃતિમાં શ્રી ભાવનાબેન જાગૃતભાઈ ભટ્ટ દ્વારા વિશેષ પ્રસાદ સાથો સાથ . આસો નવરાત્રી ઉત્સવ ના તમામ મંગળ દિવસો દરમિયાન શ્રી સરલાબેન જતીનભાઈ ભટ્ટ તરફથી ખેલૈયાઓને ભરપેટ નાસ્તાની પણ સુવિધા આપવામાં આવી હતી.. સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીક રૂપે શિશવિહાર પરિસરમાં યોજતા ગરબા માં ભાગ લેનાર તમામ ખેલૈયાઓને શ્રી ઇલાબેન મહેતા તરફથી સ્ટીલ ટિફિનની લાહણી આનંદદાયક બની રહી હતી
Recent Comments