fbpx
ભાવનગર

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૬૯ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૬૯ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી .સ્વ .જીતેન્દ્રરાય ઈશ્વરલાલ મહેતાના સૌજન્ય થી ૪૭૨ મો પ્રભુકૃપા શ્રી શૈલેષભાઈ મહેતા પરીવાર ની ઉપસ્થિતિ માં શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ શ્રીમતી જશકોર બહેન ન્યાલચંદ ભાઈ વકીલના સ્મરણાર્થે ડૉ શ્રી નિર્મળ ભાઈ વકીલ તથા શ્રી ભરતભાઈ વકીલ ના સૌજન્ય થી ૪૭૩ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી જ્યોતિબહેન મનીશભાઈ વકિલની ઉપસ્થતિમાં  તારીખ ૨૭  ઑક્ટોબરનાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.

ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી વર્ષ ૧૯૬૮  થી સતત રીતે યોજાતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૬૯ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી.હિરવાબહેન પટેલની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.  મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ  ૧૫ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે  તેમજ દર્દીઓના ૧૦ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી…….

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/