fbpx
ભાવનગર

રામકથા પ્રસંગે લોકભારતીમાં મંગળ સજાવટ સુશોભન

રામકથા પ્રસંગે લોકભારતીમાં મંગળ સજાવટ સુશોભનનો હાર્દિક ઘમઘમાટ સણોસરામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાનાર કથા માટે કાર્યકર્તા અને વિદ્યાર્થીઓમાં ઉમંગ ઈશ્વરિયા મંગળવાર તા.૧૯-૧૨-૨૦૨૩ (મૂકેશ પંડિત) સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠના આંગણે રામકથા પ્રસંગે મંગળ સજાવટ સુશોભનનો હાર્દિક ઘમઘમાટ રહ્યો છે. શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાનાર આ કથા માટે કાર્યકર્તા અને વિદ્યાર્થીઓમાં ભારે ઉમંગ છે.ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ દ્વારા સાંપ્રત શિક્ષણ સાથે જીવન જીવવાની કેળવણી કેન્દ્ર સ્થાને છે, કળા અને સંસ્કૃતિ પણ સમાંતર જ છે. આ સંસ્થામાં આગામી સપ્તાહે યોજાનાર રામકથા પ્રસંગે મંગળ સજાવટ સુશોભનનો હાર્દિક ઘમઘમાટ રહ્યો છે. અહી અભ્યાસક્રમ અને વિભાગવાર કાર્યકર્તાઓના સંકલન સાથે ભાતીગળ કળા સાથે સુશોભન ચિત્રાંકન કાર્ય ચાલી રહ્યું છે.

શ્રી મોરારિબાપુના વ્યાસાસને મનોરથી શ્રી હર્ષાબા ગોહિલ અને લોકભારતી પરિવારના સંકલન સાથે આ કથા પ્રસંગે  સંસ્થા પરિસરમાં વિશેષ સુશોભન સજાવટ ચાલી રહી છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા શ્રી અરુણભાઈ દવે સાથે શ્રી રામચંદ્રભાઈ પંચોળી અને શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણીના માર્ગદર્શન સાથે સંસ્થા પરિસરમાં કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ દ્વારા ભારે ભાવ ઉમંગ સાથે કળા પ્રવૃત્તિ અને સુશોભન થઈ રહેલ છે.  સ્વચ્છતા અને સુશોભન એ અહીંયા કાયમી પ્રક્રિયા છે પરંતુ આ કથા પ્રસંગે વિશેષ આકર્ષણ ઉમેરણ માટે સંસ્થાના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ તેમજ દરેક વિભાગના વડાઓ લોકભારતીની સત્વશીલ સજાવટ માટે જહેમતમાં રહ્યા છે.લોકભારતી અધ્યાપન મંદિરના શ્રી જગદીશગિરિ ગોસાઈનાં સંકલન સાથે સુશોભન પ્રવૃત્તિમાં શ્રી વિનીતભાઈ સવાણી, શ્રી સંજયભાઈ પરમાર, શ્રી રૂપાબેન પટેલ, શ્રી ભૂપતભાઈ સોલંકી, શ્રી ગૌરાંગભાઈ વોરા, શ્રી નીરવભાઈ દવે તેમજ શ્રી માધવીબેન પંડ્યા સહયોગી બની અહીંની વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રંગોળી, ચિત્રો સાથે કળા સુશોભન કાર્ય ચાલી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/