ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૧૨/૨૦૨૩ નાંરોજ યોજાશે
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે : ડીસેમ્બર – ૨૦૨૩ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૧૨/૨૦૨૩ નાં રોજ સવારનાં ૧૧ : 00 કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે શ્રી જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર નાં અધ્યક્ષ પદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૨૦/૧૨/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા
કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહી તેમ ઘોઘા મામલતદાર ની યાદીમાં જણાવાયું છે.
Recent Comments