તળાજા તાલુકાના ટીમાણા ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/citywatch-16-300x132-5-1024x451-50.jpg)
ગણેશ શાળા ટીમાણામાં વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન રણછોડદાસજી બાપુ ચેરી ટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગણેશ શાળા – ટીમાણામાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન દર મહિનાની 11 તારીખે કરવામાં આવે છે. નેત્ર નિદાન કેમ્પમાં મોતિયાનાં તપાસ કરી જરૂરિયાત વાળા દર્દીઓને હોસ્પિટલની બસ દ્વારા રાજકોટ મોતિયાના ઓપરેશન માટે લઇ જવામાં આવશે અને નેત્રમણીની જે દર્દીઓને જરૂર હશે તેમને નેત્રમણી બેસાડી દેવામાં આવશે. આ ઓપરેશન ટાંકા વગરના કરવામાં આવશે. મોતિયાના ઓપરેશન કરી દવા, ટીપા અને ચશ્મા વગેરે મફતમાં આપવામાં આવે છે. દરેક દાર્દીઓને ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. દરેક દર્દીઓ એ આધારકાર્ડની ઝેરોક્ષ અને ફોન નંબર ફરજીયાત સાથે લાવવાના રહેશે. દર્દીઓએ ગણેશ શાળા-ટીમાણા ખાતે (9624981515) ભરતભાઇ પંડયા નો સંપર્ક કરવા જણાવાયું છે
Recent Comments