fbpx
ભાવનગર

તીર્થ ગામ હણોલ માટે પ્રેરણા વડાપ્રધાન શ્રીની અને જહેમત ગ્રામજનોની – કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

ઉત્તરાયણ પર્વે વિકાસ અને એકતાની પતંગ ચગાવતા હણોલ ગામમાં અમૃત સરોવર લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, તીર્થ ગામ હણોલ માટે પ્રેરણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અને જહેમત ગ્રામજનોની રહેલી છે, હું નિમિત્ત છું તેનો આનંદ છે. અહીંયા અમૃત સરોવર લોકાર્પણ ઉદ્યોગપતિ શ્રેષ્ઠી શ્રી મધુકર પારેખના હસ્તે કરવામાં આવ્યું. 

ભાવનગર જિલ્લાના પાલિતાણા પાસેના હણોલ ગામમાં ત્રિદિવસીય વિકાસ મહોત્સવનાં બીજા દિવસે અમૃત સરોવર લોકાર્પણ થયું આ પ્રસંગે અધ્યક્ષસ્થાને રહેલા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ અહી તેમના પ્રત્યે મહાનુભાવો દ્વારા થયેલ પ્રશંસા બદલ ભાવ જણાવી કહ્યું કે, હણોલ ગામ જે વિકાસ કરી રહેલ છે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સર્વાંગી વિકાસ સાથેના આદર્શ ગામની પ્રેરણા મૂળમાં રહેલી છે. 

સમગ્ર અભિયાનના પ્રેરક શ્રી મનસુખ માંડવિયાએ તીર્થ ગામ હણોલ માટે હું નિમિત્ત છુ, તેનો આનંદ છે પણ જહેમત એક એક ગ્રામજનોની રહી છે, તેમ ભારપૂર્વક જણાવ્યું અને હજુ ઘણાં માળખાકીય અને સામાજિક ઉપક્રમોનો પ્રારંભ કરવાનો છે તેમ ઉમેર્યું. અહીંનું અમૃત સરોવરમાં દેશની તેત્રીસ પવિત્ર નદીઓના નીરથી પૂજન વિધિ ચાલી રહેલ છે જે અસ્થિ વિસર્જન તીર્થ બની રહ્યું છે. 

કેન્દ્રીયમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ઉદ્બોધનમાં કહ્યું કે, સંપત્તિ કરતા સંસ્કારની સુવાસ કાયમ રહેતી હોય છે,  જે કામ અહીંયા જોવા મળી રહ્યું છે. આ ગામની પ્રેરણા લઈ અન્ય ગામો પણ સામાજિક સમરસતા સાથે વિકાસ સાધશે તેમ આશાવાદ વ્યક્ત કર્યો. 

અહીંયા અમૃત સરોવરનું લોકાર્પણ ઉદ્યોગપતિ શ્રેષ્ઠી શ્રી મધુકર પારેખના હસ્તે થયું. આ પ્રસંગે તેઓએ ગામડાઓમાં રત્ન હણોલ બન્યું છે, તેવી રીતે જાહેર જીવનમાં રત્ન શ્રી મનસુખભાઈ માંડવિયા હોવાનું જણાવી બીજા ગામો પણ આવા બનાવીએ તેમ ઉપસ્થિતોને જણાવ્યું.

તીર્થ ગામ હણોલની એકતા અને વિકાસ યાત્રા સાથે શ્રી મનસુખભાઈ માંડવિયાની દૃષ્ટિ વિશે અહી ઉપસ્થિત રહેલ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો શ્રી મનીષભાઈ જિવાણી, શ્રી ભરતભાઈ શેઠ, શ્રી ગીરીશભાઈ શાહ, શ્રી અનુપભાઈ મહેતા, શ્રી અરુણભાઈ દવે, શ્રી અંજુમભાઈ બિલખિયા, શ્રી રસેલભાઈ મહેતા, શ્રી રમેશભાઈ ભલાણી, શ્રી વિઠ્ઠલભાઈ ડાભી દ્વારા શુભકામના સાથે પ્રશંસા થઈ.આ કાર્યક્રમમાં શ્રી સંજયભાઈ માંડવિયા દ્વારા ગામની વિકાસ યાત્રા અને અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું. ઉમંગભર્યા ઉત્તરાયણ પર્વે વિકાસ અને એકતાની પતંગ ચગાવતા હણોલ ગામમાં અમૃત સરોવર લોકાર્પણ કાર્યક્રમના પ્રારંભે શ્રી ધનજીભાઈ લાઠિયાએ સ્વાગત ઉદ્બોધન કરેલ જ્યારે આભારવિધિ શ્રી જીજ્ઞેશભાઈ લાઠિયાએ કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/