ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત વિશ્વમહિલાદિનની પૂર્વસંધ્યાએ ‘તેજસ્વિની’ કાર્યક્રમ
ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત વિદ્યાસભા આયોજિત તા. ૭-૩-૨૦૨૪ સાંજે ૬.૦૦ કલાકે એચ. કે. કોલેજ હોલ, આશ્રમ રોડ ખાતે વિશ્વમહિલાદિનની પૂર્વ સંધ્યાએ ‘તેજસ્વિની’ કાર્યક્રમનું આયોજન થયું છે. જાહેર જનતાને આમંત્રણ છે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા અને ધીરેન અવાશિયા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
નારીશક્તિનો ઉલ્લાસ કરતા આ કાર્યક્રમમાં જાણીતા યુવાસર્જક હર્ષ મેસવાણિયાના પુસ્તક ‘સુપર વુમન’ પુસ્તકનું વિમોચન ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિ.ના કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાય કરશે. ગુજરાત સરકારની રાજભાષા કચેરીના નિયામક ડૉ. જયેન્દ્રસિંહ જાદવ ‘નારીનો નાદ’ વિશે વકતવ્ય આપશે. સુપ્રસિદ્ધ ગાયિકા માયા દીપક, વૈશાલી મહેતા, ડૉ. કૃતિ મેઘનાથી નારીગીતોની પ્રસ્તુતિ કરશે. સંગીત હેતલ રાવ અને સંચાલન ઉર્વશી શ્રીમાળી કરશે. સાહિત્યરસિકો માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે.
Recent Comments