અગ્રણી શ્રી શશીકાંત ભોજનું સરકાર દ્વારા ગાંધીનગરમાં સન્માન
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/03/IMG-20240313-WA0286.jpg)
ગોહિલવાડનાં રાજકીય અને સામાજિક અગ્રણી શ્રી શશીકાંત ભોજનું સરકાર દ્વારા ગાંધીનગરમાં સન્માન રંઘોળાનાં કાર્યકર્તાને કન્યા કેળવણી સાથે સામાજિક સેવા માટે ‘શ્રી બાબાસાહેબ આંબેડકર સન્માન’ એનાયત થયું ઈશ્વરિયા બુધવાર તા.૧૩-૩-૨૦૨૪ ગુજરાત સરકાર દ્વારા ગોહિલવાડનાં રાજકીય અને સામાજિક અગ્રણી શ્રી શશીકાંત ભોજનું સન્માન થયું છે. રંઘોળાનાં કાર્યકર્તાને કન્યા કેળવણી સાથે સામાજિક સેવા માટે ગાંધીનગરમાં ‘શ્રી બાબાસાહેબ આંબેડકર સન્માન’ એનાયત થયું છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત પરિવારોના કલ્યાણ માટે કાર્યરત ગોહિલવાડનાં રાજકીય અને સામાજિક અગ્રણી શ્રી શશીકાંત ભોજનું સન્માન થયું છે. રંઘોળાનાં આ કાર્યકર્તાને કન્યા કેળવણી સાથે સામાજિક સેવા માટે વર્ષ ૨૦૨૩/૨૪ માટેનું ‘શ્રી બાબાસાહેબ આંબેડકર સન્માન’ એનાયત થયું છે. અનુસૂચિત જાતિ કલ્યાણનાં વિવિધ સન્માન અર્પણ વિધિ સમારોહમાં અધ્યક્ષ સ્થાને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા રહ્યા હતા. અહી સમારોહમાં ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા અને મહાનુભાવો અગ્રણીઓ સાથે અધિકારીઓ જોડાયા હતા.સન્માનિત શ્રી શશીકાંત ભોજ ભાવનગર જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ તરીકે રહી ચૂકેલ છે, તેઓ ઉમરાળા તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં સામાજિક સમરસતા અને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે કાર્યરત છે.
Recent Comments