fbpx
ભાવનગર

સૌ એક વૃક્ષ વાવે તો 100 કરોડ ઉગશે: મોરારિબાપુ ગોંડલની છઠ્ઠા દિવસની રામકથામા રાજવી પરિવારની વ્યાસપીઠ વંદના

 પુ. મોરારિબાપુએ છઠ્ઠા દિવસની કથામાં  પ્રવેશ કરતાં કહ્યું કે આજે બુદ્ધપૂર્ણિમા છે. ભગવાન બુદ્ધ અને મહારાજા ભગવતસિંહજીને વૃક્ષો ખૂબ વહાલા હતા.તેમના વૃક્ષ પ્રેમને અનુમોદન આપવા માટે અને સમગ્ર જગતની સુખાકારી માટે ભારતની વસ્તીના કુલ 100 કરોડ લોકો જો એક એક વૃક્ષ વાવે તો આપણે સમગ્ર પૃથ્વીને વધુ હરિયાળી બનાવી શકીએ.  બાપુએ વ્યાસપીઠ પરથી પુ.સીતારામ બાપુ સમેત સૌને વિશેષ વિનંતી કરી. તમામ કથા ફ્લાવર્સને પણ વૃક્ષ પ્રેમ માટે એક એક વૃક્ષ વાવવા અનુરોધ કર્યો. આજ સંદર્ભમા બાપુએ કહ્યું કે સદભાવના નામની  રાજકોટની સંસ્થા વૃદ્ધોની સેવા અને વૃક્ષોની ખૂબ સારી સેવા કરી રહી છે‌. તેના માટે એક કથા પણ મેં આપેલી છે. તેમની પ્રવૃત્તિને આપણે બિરદાવીએ છીએ.

રામકથાના ક્રમમાં બાપુએ શિવ વિવાહની કથા અને પછી રામ જન્મોત્સવની કથાને આગળ વધારી હતી. રામનું મહત્વ અને શિવનું સતિ સાથેનું સ્નેહમિલન રસપૂર્ણ રીતે પ્રસ્તુત થયું હતું.કથાના પ્રારંભે સંચાલક શ્રી નીતિનભાઈ વડગામાએ રામકથાના પ્રસંગોને સાહિત્યની સાથે સરસ જોડ્યાં હતાં.આજની કથામાં જગજીવનદાસજી મહારાજ જુનાગઢ તથા અન્ય સંતો પણ ઉપસ્થિત હતાં.આખી કથા ખૂબ‌ ટુંકા સમયમાં આયોજિત કરાવવા બદલ જલિયાણધામ તથા શ્રી ભરતભાઈનો વિશેષ ઉલ્લેખ કરી આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/