શિશુવિહાર માં ૧૦૦ શ્રમિક બહેનો નું અભિવાદન
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/05/IMG-20240526-WA0031-1140x620.jpg)
ભાવનગર શિશુવિહાર માં ૧૦૦ શ્રમિક બહેનો નું અભિવાદન આઝાદી પૂર્વે બહેનો સ્વાવલંબી અને શિક્ષિત બને તેવા ભાવથી શિશુવિહાર ની સેવા પ્રવૃત્તિ ને પ્રોત્સાહિત કરનાર ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના કાર્યકાળ થી ચાલતી સીવણ તાલીમ ના લાભાર્થી ૧૧૦૦૦ બહેનો તેમજ ૪૦૦૦ ભાઈઓ ની માહિતી પુસ્તિકા નું વિમોચન સંસ્થા પ્રાંગણ માં થયું જ્યોતિ મહિલા મંડળ ના સ્થાપક શ્રી લીલીબહેન પરિવાર ના સદસ્ય રાજુભાઈ દવે પ્રાધ્યાપક પ્રવીણભાઈ ઠક્કર તથા શ્રી આરીફભાઈ કાલ્વા ની પ્રેરક ઉપસ્થિતિ માં તારીખ ૨૪ મે ના રોજ યોજાયેલ સમારોહ માં સીવણ સંચા ને કલ્પતરુ માંથી તેના આધારે પોતાના પરિવાર ને બેઠો કરનાર ૧૦૦ શ્રમિક બહેનોનું અભિવાદન થયું આ પ્રસંગે રોટરી ક્લબ ભાવનગર દ્વારા ૧૨ જરૂરિયાતમંદ ગરીબ બહેનો સીવણ સંચા આપવામાં આવેલ સાથોસાથ તમામ બહેનો ને શ્રી મહેરૂનિશાબેન કાલ્વા તરફ થી સીવણ કીટ અર્પણ કરવામાં આવેલ ૬૦૦૦ બહેનો ને સીવણ તાલીમ થી સજ્જ કરનાર શ્રી ગુલાબબા ગોહિલ નું વિશેષ અભિવાદન સાથે સંપન થએલ સમારોહ માં લાભાર્થી બહેનોએ પણ તાલીમ ની ઉપયોગીતા જણાવતા શિશુવિહાર સંસ્થા પ્રત્યે ઋણ સ્વિકાર ભાવના વ્યકત કરી હતી..
Recent Comments