શિશુવિહાર પ્રાંગણ માં ત્રી દિવસીય રંગોળી વર્કશોપ યોજાયો
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/IMG-20240603-WA0011.jpg)
ભાવનગર શિશુવિહાર પ્રાંગણ માં ત્રી દિવસીય રંગોળી વર્કશોપ યોજાયો શિશુવિહાર ના સ્થાપક સભ્ય અને પોતાની ૯૬ વર્ષ ની આયુષ્ય સુધી સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શ્રી હીરાબેન ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં સતત ૧૩ માં વર્ષે તા.૩૧ મે થી ૩ દિવસીય રંગોળી વર્કશોપ યોજાયો.. વૃક્ષના પાંદડા ની રંગોળી માટે જાણીતા શ્રી હીરાબેન ની સ્મૃતિમાં યોજાએલ કાર્યક્રમમાં ભાગ લેનાર ૨૭ કલાકારોને જરૂરી મટીરીયલ આપવામાં આવ્યું હતું. જેમાં ચિરોડી , કાપડ , રંગ , ફૂલ – પાન જેવા માધ્યમો થી રંગોળી બનાવવાની તાલીમ ભાવનગર કલાસંઘ ના સંવાહક ડૉ.અશોકભાઈ પટેલ તથા શ્રી રમેશ ભાઈ ગોહિલ એ આપી હતી.. વર્કશોપ ના અંતીમ દિવસે તમામ કલાકારો ને પ્રાધ્યાપક ડોક્ટર રવિન્દ્રભાઈ ભટ્ટ ની અધ્યક્ષતામાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા ..
Recent Comments