ભાવનગર તાલુકાના પીથલપુર ગામે રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે પ્રાથમિક શાળાનું લોકાર્પણ
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/citywatch-16-300x132-5-1024x451-64.jpg)
ભાવનગર તાલુકાના પીથલપુર ગામે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોતમભાઇ સોલંકી ના હસ્તે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રાથમિક શાળામાં ૭ રૂમ બનાવાયા છે જેમાં 3 સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ સાથે પ્રાથમિક સુવિધા ઊભી કરવામાં આવી છે. આ તકે આગેવાન શ્રી રાજુભાઈ ફાળકી, શ્રી વક્તુંબેન મકવાણા, શ્રી દિવ્યેશભાઈ સોલંકી,શ્રી ભૂપતભાઇ બારેયા, શ્રી રામભાઇ સાગાં સહિતના આગેવાનો અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments