દાંત્રડ ગામે પ્રવેશોત્સવ નિમિત્તે બાળકો માટે રૂ 18000 નું અનુદાન મળ્યું
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/IMG-20240630-WA0006-1140x620.jpg)
તળાજા તાલુકાની દાંત્રડ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જગદીશભાઇ પ્રેમજીભાઈ પંડયા તરફથી સ્વ. પિયુષભાઈ જગદીશભાઇ પંડયા ની તિથિ નિમિતે શાળા ના બાલવાટિકા થી ધોરણ 8 ના તમામ 115 બાળકો ને શૈક્ષણિક કીટ રુપિયા 18000 ની આપવામાં આવેલ છે. તેમજ શાળા ના ભુતપૂર્વ આચાર્ય કનુભાઈ જાની માખણિયા વાળા એ બાલવાટિકા ના 24 બાળકો ને દફતર. પાટી,પેન ની કીટ આપેલ છે. તેમજ પંડયા લાલજીભાઈ શાંતિલાલ તરફથી સમોચા નું બટુકભોજન આપવા માં આવેલ છે. આ કાર્યક્રમ માં સરપંચ દિલીપભાઈ પંડયા,પંડયા અનિલભાઈ (SRP પોલીસ જુનાગઢ) પંકજભાઈ CRCઠળિયા,ઉકાભાઈ ચોહલા,મનહરભાઈ પંડયા,વેલજીભાઈ પંડયા, હર્ષદભાઈ ધાંધલ્યા, જયેશભાઈ ગઢાદરા વગેરે ગ્રામ જનો હાજર રહ્યા હતા. આચાર્ય રમેશભાઈ જાની તથા હરેશભાઈ ચોહલા એ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરેલ છે.
Recent Comments