fbpx
ભાવનગર

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં ગુરુપૂર્ણિમા શ્રી વિશ્વાનંદ માતાજી

ગુરુપૂર્ણિમા સંદર્ભે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા  આંબલામાં શ્રી વિશ્વા નંદ માતાજીનાં ઉદ્બોધનમાં જણાવાયું કે, માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરુત્તત્વ રહેલ છે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં વક્તા કથાકાર શ્રી વિશ્વાનંદ માતાજીએ ગુરુપૂર્ણિમા ઉદ્બોધન આપતાં રામચરિત માનસ તેમજ અન્ય દૃષ્ટાંત પ્રસંગોનો ઉલ્લેખ કરી કહ્યું કે, માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરુત્તત્વ રહેલ છે. આ સંસ્થામાં ઋષિ તુલ્ય ગુરુજનો દ્વારા જે મૂલ્યો રોપાયાં છે તે ભાવાવરણ અનુભવાઈ રહ્યાનું ઉમેરી વિદ્યાર્થીઓને વિવિધ ગુણ ગ્રહણ કરી જીવનમાં નકારાત્મકતા ન લાવવા શીખ આપી.

સંસ્થાનાં આચાર્ય શ્રી વાઘજીભાઈ કરમટિયાએ વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા પ્રસંગે સંસ્થાનાં સ્થાપક શ્રી નાનાદાદા ભટ્ટ સહિત ગુરુ પુરુષોનું સ્મરણ કરી વિદ્યાર્થીઓને ગુરુ સંદેશ અને વિવેક ભાન સાથે આગળ વધવાં જણાવ્યું. આ પ્રસંગે કાર્યકર્તા શ્રી મૂકેશભાઈ મહેતા સાથે કુમારી ચેતના કંટારિયા, કુમારી અંજલિ ત્રિવેદી તથા શ્રી શક્તિ પરમારે પ્રાસંગિક વાતો રજૂ કરી. શ્રી નરેન્દ્રભાઈ મકવાણાએ મહેમાન પરિચય આપ્યો હતો.  આભાર વિધિ સંસ્થાનાં અગ્રણી શ્રી રાજુભાઈ વાળાએ કરી અને વિદ્યા સંસ્થામાં ધર્મ સંસ્થાનો યોગ થયાનો ભાવ વ્યક્ત કર્યો.વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીનું અભિવાદન સંસ્થા પરિવારનાં શ્રી રૂપાબેન પટેલ તથા શ્રી નિમાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. સંગીત વૃંદ દ્વારા ગુરુગાન પ્રસ્તુત થયેલ. સંચાલનમાં શ્રી દર્શિક સરવૈયા રહેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/