fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાનાં વાવડી ગામનાં ખેડૂતે પ્રાકૃતિક કૃષિ દ્વારા ગ્રીન ટી, બ્રોકલી અને પર્પલ કેબેજ ઉગાડી કંડારી નવી કેડી

ભાવનગર તાલુકાનાં વાવડી (રાજગોર) ગામનાં એક ખેડૂત છેલ્લાં આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી દ્વારા વિદેશી શાકભાજી અને છોડ વાવી આ ઉત્પાદનો ભાવનગર અને અમદાવાદમાં વેચી મબલક આવક મેળવી રહ્યા છે.વાવડી ગામનાં ખેડૂત શ્રી જેન્તીભાઈ ચૌહાણ આઠ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટ અને બાગાયતી સેમિનાર દ્વારા પ્રાકૃતિક ખેતીથી માહિતગાર થયા હતા. ત્યારબાદ તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે. ગાય આધારિત ખેતીમાં તેઓ ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત અને પંચામૃત બનાવીને છંટકાવ કરે છે,

જેનાં કારણે ઉત્પાદન પણ સારું મળે છે. આ ઉત્પાદનનું તેઓ અમદાવાદનાં સૃષ્ટિ માર્કેટ અને ભાવનગરનાં અમૃત બજારમાં વેચાણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે. આ ઉપરાંત બાગાયત ખાતાના અધિકારીઓ,આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની સમસ્યાનું નિવારણ લાવે છે. આ ઉપરાંત આઠ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ તેમનાં પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન થકી તેઓ પણ લાખેણી આવક મેળવતા થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/